કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,
------------------------------------------------------------------
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
-------------------------------------------------------------------
માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો
થઇ જતો નથી.
----------------------------------------------------------------------------
પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
------------------------------------------------------------------------------
કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..
--------------------------------------------------------------
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
--------------------------------------------------------------------------------------------
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
---------------------------------------------------
જ્ઞાની તે છે જે બીજા ની ભૂલો પચાવી શકે છે.
-----------------------------------------------------------
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…
-----------------------------------------------------------------------------------
તમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય !!
---------------------------------------------------------------------------------------
દિવસ દરમિયાન જયારે તમે કોઈ મુશ્કેલી નો સામનો ના કરો,
તો સમજ જો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો !!
--------------------------------------------------------------------
આ દુનિયા ક્યારેય પોતાની જાત ની સરખામણી બીજા સાથે ના કરો,
આમ કરવા થી તમે પોતા ની જાત નું જ અપમાન કરો છો…
------------------------------------------------------------------------------
કબીર સાહેબે પણ કહ્યું છે કે ………
બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;
પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.
------------------------------------------------------
જયારે લોકો તમારી વિરુદ્ધ માં બોલે ત્યારે સમજ જો કે તમે પ્રગતિ કરી રહ્યો છો !!
----------------------------------------------------------------------
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ,
કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે !!
-------------------------------------------------------------
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે
-------------------------------------------------------
જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.
મુસાફરીઓ થતી રહે…
---------------------------------------------------
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
----------------------------------------------------------
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ……. તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !!
---------------------------------------------------------
સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો,
એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે.
-----------------------------------------------------------------------------------
--
JAI JAI GARVI GUJARAT
Best Regards,
GUJARATI SAMAJ RWANDA
Google Group: http://groups.google.com/group/rwandagujaratisamaj
Send email to this group (Members Only):
rwandaguj...@googlegroups.com