અણ્ણાએ ઉપવાસ તોડ્યા, કહ્યું ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇ ચાલુ જ રહેશે

0 views
Skip to first unread message

anil

unread,
Apr 9, 2011, 3:45:58 AM4/9/11
to rjcc_college_friends
આખરે ચાર દિવસના આમરણાંત ઉપવાસ બાદ અણ્ણા હઝારેએ ઉપવાસ તોડી દીધા છે.
તેમણે એક બાળકીના હાથે લીંબુ પાણી પીને પારણા કર્યા. આ પહેલા અણ્ણાએ
આમરણાંત ઉપવાસ પર બેઠેલી મહિલાઓને લીંબુ પાણી પીવડાવી ઉપવાસ તોડાવાની
શરૂઆત કરી. અણ્ણા હઝારેએ કહ્યું છે કે જો સરકાર ચોમાસું સત્રમાં લોકપાલ
બિલ પાસ નહીં કરે તો તેઓ 15 ઓગસ્ટે ઝંડો લઇ લાલ કિલ્લા પર આંદોલન કરશે.
સાથે તેમણે એ પણ કહ્યું કે આપણે વિશ્વને બતાવી દીધું કે ભારત એક છે.
તેમણે આ સફળતાને જનતાની જીત ગણાવી છે. અણ્ણાએ કહ્યું કે આ આંદોલન ધર્મ
અને જાતિના બંધનોથી પર હતું. તેમણે કહ્યું કે આ મારા જીવનનો સૌથી મોટો
દિવસ છે. તો તેમણે એ પણ કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની તેમની લડાઇ ચાલુ
જ રહેશે.

આ પહેલા શનિવારે સવારે વડાપ્રધાન મનમોહન સિંહે એલાન કર્યું હતું કે સરકાર
ચોમાસું સત્રમાં લોકપાલ બિલ સંસદમાં રજૂ કરશે. ત્યારબાદ સરકારે આ વિશે
નોટિફિકેશન પણ જારી કરી દીધું અને આદેશની કોપી સ્વામી અગ્નિવેશને સોંપી.
તેમણે આ કોપી અણ્ણા હઝારેને સોંપી અને ત્યારબાદ અણ્ણાએ ઉપવાસ તોડ્યા.

આ પહેલા શુક્રવારે સમાજસેવી અણ્ણા હઝારેના આમરણાંત ઉપવાસ સામે સરકાર ઝૂકી
ગઇ. અણ્ણા અને સરકાર વચ્ચે સમજૂતી થઇ ગઇ. સરકારે અણ્ણાની તમામ માંગો માની
લીધી. રાજધાની દિલ્હીમાં જંતર-મંતર પર જનતા સાથેની વાતચીતમાં અણ્ણા
હઝારેએ કહ્યું કે આ આપના(જનતાના) સમર્થનની જીત છે.

શુક્રવારે સરકારે અણ્ણાની એ માંગને માની લીધી કે ડ્રાફ્ટ કમિટીમાં 2
અધ્યક્ષ રહેશે. અણ્ણાના સમર્થકોએ પોતાની પેનલની ઘોષણા કરી દીધી છે.
કમિટીના સહ-અધ્યક્ષ શાંતિ ભૂષણ રહેશે. ડ્રાફ્ટ કમિટીમાં બીજી અધ્યક્ષ
સરકાર તરફથી હશે. અરવિંદ કેજરીવાલ, અણ્ણા હઝારે, સંતોષ હેગડે અને પ્રશાંત
ભૂષણ મેમ્બર રહેશે. સરકાર પોતાની પેનલની જાહેરાત બાદમાં કરશે. આ કમિટીમાં
સરકારી અને બિનસરકારી સભ્યોની સંખ્યા એકસરખી રહેશે. સમિતિની બેઠક તુરંત જ
શરૂ થઇ જશે. સરકાર એ વાત પર પણ સહમત થઇ ગઈ હતી કે આ બિલ સંસદમાં ચોમાસું
સત્રમાં રજૂ કરવામાં આવે.

Reply all
Reply to author
Forward
0 new messages