----- Forwarded Message ----
From: Swetal Bhavsar <swetal....@gmail.com>
To: angiras bhat <angira...@yahoo.co.uk>; ashok masa <ash...@yahoo.com>; Shekhar (IN - Ahmedabad) Karnik <shka...@deloitte.com>; abhishek desai <abhish...@yahoo.co.in>; anita aunty <vak...@yahoo.co.in>; ankita gupta <tanu.t...@gmail.com>; Anuj Sharedalal <shareda...@gmail.com>; hemang jariwala <auro...@yahoo.com>; Akshay Timbdiya <akshayt...@gmail.com>; Binal Patel
<binalp...@gmail.com>; bhabhi <vidh...@gmail.com>; hiral bhatt <hiralb...@yahoo.com>; Anant Sumanray Brahmbhatt <anant...@yahoo.co.in>; Bharat Vyas <bharat...@yahoo.ca>; bhautik shah <bhaut...@gmail.com>; Bhavin Shah <braj...@gmail.com>; Bhushan Kankal <bhushan_...@yahoo.co.in>; Darshan Bhatt <darsh...@gmail.com>; Brijesh Gadhavi <boyztom...@yahoo.com>; karna jadio <vtra...@ymail.com>; shree <chi...@gmail.com>; "@$h!$h..... !T@rGeT c#@SeD..." <ashish...@gmail.com>; chintan chhatbar <thej...@gmail.com>; Chintan Lakhani <chintan.hal...@gmail.com>; Chintsssss...... Aka DEV <chinta...@gmail.com>; Chirag Doshi <chirag...@gmail.com>; Claudia Ciesla (Actress/Model) <CCla...@stars.ms>; cooldude me <span...@yahoo.com>; Dasaa nu Das Chintu Gujrati <chintu...@gmail.com>; Dhairya
Chauhan <dhairya...@gmail.com>; dhruvil patel <dhruvilp...@yahoo.co.in>; dhwani sheth <dhwani...@gmail.com>; dharini jethava <dhari...@gmail.com>
Sent: Wed, December 1, 2010 4:32:45 AM
Subject: વિવિધ દુઃખાવા વિષે કેટલીક સાચી અને ખોટી માન્યતાઓ
વિવિધ દુઃખાવા વિષે કેટલીક સાચી અને ખોટી માન્યતાઓ
બધા જ દુઃખાવા ગંભીર હોય છે -> ખોટી વાત
હાથ , પગ , ઘુંટણ , થાપા , કમર , ખભા , કોણી , ગરદન અને સ્નાયુ માં જે દુઃખાવો કામ
કર્યા પછી વધી
જાય અને આરામ કરવાથી તરત જ ફાયદો થાય તે મોટા ભાગે સામાન્ય પ્રકાર નો દુઃખાવો કહેવાય.
એના માટે જાતે અને કાયમ કોઇ પણ દર્દનાશક દવા લેવા ની ટેવ પાડશો તો કીડની , લીવર , ફેફસા ,
જઠર માં ચાંદા , લોહી ની ઊલટી , બ્લડપ્રેશર , અસ્થમા નાં દર્દીઓ ને દમ નો હુમલો અને વાગ્યે ત્યારે
ખૂબ જ લોહી વહી જવા સુધી ની આડઅસરો માટે તૈયારી રાખજો.
સરળ અને પ્રેક્ટીકલ ઉપાય
શરીર અને હાથ-પગ નાં આ પ્રકાર નાં દુઃખાવા માં ફીજીયોથેરાપી અને સરળ અને પ્રમાણ માં ઓછી
અસરો ધરાવતી દવાઓ વડે કંટ્રોલ કરી શકાય છે. જો તેનાથી પણ ના મટે તો પેઈન સ્પેશિયાલિસ્ટ
પાસે એક્દમ નાની સોય વડે ખાસ પોઈંટ પર ઈંજેક્ષન નાં સિટિંગ્સ લેવા થી રાહત મેળવી શકાય છે.
પેઈન સ્પેશિયાલિસ્ટ નર્વ - બ્લૉક, પ્લેક્સસ બ્લૉક , ગેંગ્લીઓન બ્લૉક , એપીડ્યુરલ ઇંજેક્ષન વગેરે
જુદા જુદા અનેક પ્રકાર નાં ઈંજેક્ષનો વડે દર્દી ને રાહત આપી શકે છે.
જો આના થી પણ રાહત ના થાય તો પછી છેલ્લે તો ઑપરેશન નું વિચારવું જ જોઇયે.
કોઈ પણ દુઃખાવો સહન કરવો જોઇએ -> ખોટી વાત
જો દુઃખાવો સતત ચાલુ રહે, મટ્યા પછી ફરી થી ચાલુ થાય , ઊંઘ ના આવે એવો દુઃખાવો થાય, સાથે
સાથે ઝીણો તાવ, ભૂખ ના લાગવી , વજન ઘટી જવું - વગેરે લક્ષણો દેખાય તો એ સારી નિશાની ના
કહેવાય.
આવા સંજોગો માં સમય બગાડ્યા કરતાં યોગ્ય સ્પેશિયાલીસ્ટ ડૉક્ટર પાસે જઈ ને સારવાર કરાવવી
જોઈએ.
પુખ્ત વ્યક્તિ માં - હ્રદય નાં,પેટ નાં,છાતી નાં,માથા નાં,પેઢુ નાં, આંખો નાં અને બાળકો માં કોઈ પણ પ્રકાર
નાં દુઃખાવા ને હળવાશ થી ના લેતાં જે તે રોગ નાં સ્પેશિયાલીસ્ટ ડૉક્ટર પાસે તરત જ જઈ ને સારવાર
કરાવવી જોઇએ. જ્યારે પણ ફેમીલી ડૉક્ટર ને ગમ્ભીર રોગ લાગે ત્યારે એમની સાથે મુક્ત મને ચર્ચા કરી
સમય બગાડ્યા વગર માત્ર દર્દી ના સારા થવા માટે પ્રયત્ન કરો.
ઘુંટણ , કમર , થાપા , ખભા , કોણી વગેરે નો દુઃખાવો મટે જ નહિ. -> ખોટી વાત
નવા જમાનાં ની શોધો એ સર્જરી ને પહેલાં કરતાં સરળ અને ઓછી જોખમી બનાવી દીધી છે.
નવા જમાના ની પધ્ધ્તિ દર્દી ને માટે ફાયદા કારક હોઈ અપનાવવા લાયક છે અને જૂનાં ડૉક્ટરો
પણ હવે દર્દી ને થતા ફાયદા માટે નવી ટેકનીક માટે સલાહ આપી ને નવા ડૉક્ટરો ની મદદ વિના
સંકોચે લેતા થયા છે તે સારી વાત છે.
આધુનિક ટેક્નીક માં ઘા પ્રમણ માં ઘણાં નાનાં હોય છે.
લોહી ઓછુ વહે છે.
લોહી ચડાવવા ની જરુર પડતી નથી અને તેથી એઇડ્સ અને હેપેટાઈટિસ જેવા રોગો થવા નું જોખમ નથી રહેતું.
ચીરફાડ થતી નથી.
રુઝ જલ્દી આવે છે.
પાકવા ની શક્યતા જૂની સારવાર કરતાં બહુ જ ઓછી રહે છે.
ઑપરેશન પછી નો દુઃખાવો જુના જમાના ની સારવાર કરતાં ઘણો જ ઓછો હોય છે.
પ્રમાણ માં ઘણા જલ્દી થી નૉર્મલ થઈ શકાય છે.
દર્દી તેમજ સગા સમ્બન્ધી નો કિંમતી સમય બરબાદ થતો નથી.
આધુનિક સમય માં સારા ઇમ્પોર્ટેડ સાંધા, સારી હૉસ્પિટલ માં , જોઈન્ટ રીપ્લેસમેન્ટ નો અનુભવ પ્રાપ્ત
કરેલ સર્જન પાસે કરાવવા થી સંપૂર્ણ આરામ સાથે ચાલી, ફરી શકાય છે.
એટલું જ નહીં પલાંઠી વળાય અને સ્વીમીંગ, ટ્રેડમીલ , હળવી રમત ગમત , પરદેશ સુધી નો પ્રવાસ
તેમજ લાંબી યાત્રા વગેરે પણ કરી શકાય છે .
લાકડી તેમજ વાંકી ચાલ જેવી શરમ જનક સ્થિતિ માં થી છુટકારો મળતાં હતાશા દુર થાય છે અને જીવન
માં આત્મ વિશ્વાસ વધે છે.
કોઈ ને ભરોસે રહેવું પડતુ નથી અને આત્મ સન્માન સાથે જીવી શકાય છે.
યાદ રાખજો તંદુરસ્તી અને જીવન એ પ્રભુ એ આપેલી કિંમતી દેણ છે. જો જો આ બન્ને સલામત
હશે તો સારવાર માં ખર્ચેલ રકમ કરતાં અનેક ગણું કમાઈ શકાશે.
___________________________________________________________________
ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર
કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન - એમ. એસ. ઑર્થોપેડિક્સ - પૉસ્ટ ડૉક્ટરેટ
ફેલોશીપ ઈન ઍડ્વાન્સડ જોઈન્ટ રીપ્લેસમેન્ટ અને સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જરી
યુનિવર્સિટી ઑફ ટૉરોન્ટૉ – કેનેડા
ડૉ. વૈજંતી શ્વેતલ ભાવસાર - એમ.ડી. એનેસ્થેશિયા. -પેઈન કેર કન્સલ્ટન્ટ
- એનેસ્થેશિયોલોજીસ્ટ
નવી મુંબઈ - મહારાષ્ટ્ર - ભારત - પિનકોડ – ૪૦૦૭૦૩ ફોન – ૮૦૮૦૪ ૨૬૯૧૮ - ૯૮૨૦૯ ૨૭૩૭૬
( ભારત – આઇ.એસ.ડી. કોડ - ૦૦ ૯ ૧ )
ઈ મેઈલ – swe...@in.com