Full Article: http://www.realpatidar.com/a/series72
04-Mar-2018
કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી બનતા સાધુઓને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વીકારવામાં આવતા નોહતા. આ અંગેની પીડા અને અપમાનની લાગણીને દૂર કરવા કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના અમુક આગેવાનોએ અમદાવાદ ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયના ઉચ્ચ કોટીના સાધુઓને ફરિયાદ કરતા, તા. ૦૭-ઓક્ટોબર-૧૯૪૫ના અમદાવાદ ખાતે સનાતન ધર્મના ઉચ્ચ કોટીના જ્ઞાનીઓની એક સભા ભરાયેલ હતી, તેમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સાધુઓને ન્યાય મળ્યો. આ ન્યાય મહામહેનતે મળે છે, જેણે કારણે આજે સત્સંગી સમાજ ખુબજ ગૌરવ અનુભવે છે.
આ નિર્ણયનું અધ્યયન કરવાથી જાણ થશે કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની અધોગતિ થવા પાછળનું કારણ માત્ર પીરાણા સતપંથ ધર્મ અપનાવવું જ હતું. કારણ કે પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ સનાતન ધર્મ નથી અને એ માત્ર લોકોને ધીરે-ધીરે મુસલમાન બનાવવાનું પ્રપંચ છે.
આ અંગે થયેલ કાર્યવાહી અને નિર્ણયનો દસ્તાવેજ આ સાથે જોડેલ છે.
LINK: http://www.realpatidar.com/a/series72
લી.
Real Patidar