04-Aug-2018
ગત તા. ૩૦-જુલાઈ-૨૦૧૮ના પ્રકાશિત ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ સાથે આવેલ પુરતી મેગેઝીન, જેનું નામ છે “ધર્મલોક & અગમ નિગમ” તેના પેજ ૧૪ અને ૧૫ માં પીરાણા સતપંથ વિષે એક મોટો લેખ છાપવામાં આવેલ છે. આ લેખનું શીર્ષક છે... “હિંદુ-મુસ્લિમ સાથે મળીને પૂજા કરે છે પીરાણાની ઈમામશાહની દરગાહ પર”
લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ વર્ષ ૧૯૯૧માં પહેલા છાપવામાં આવેલ હશે, જેને હાલમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. તે સમયના પીરાણાના મુખ્ય ગાદી પતિ કરસનદસ કાકાના (જેનું સતપંથી નામ પીર કરીમ છે) વિચારો આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.
છેલ્લા લગભગ ૧૦ વર્ષથી, ખાસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોક મુખે, પીરાણા સતપંથ ઉપર લાગેલ શંકાસ્પદ સવાલને મોટો વેગ મળ્યો છે. પીરાણા સતપંથ ધર્મ ઉભો કરવાનો હેતુ હતો - સતપંથ ધર્મના માધ્યમથી સામાન્ય હિંદુઓને પોતાના તરફ આકર્ષિત કરી, તેમના માટે મુસ્લિમ ધર્મને સ્વીકાર્ય બનાવી, ધીરે ધીરે તેમને મુસલમાન બનાવવા. ગુજરાત સમાચારના આ લેખથી હવે સ્પષ્ટ રીતે સાબિત થઇ ગયું છે કે પીરાણા સતપંથ પર લોકોની શંકા કુશંકાઓ સાચી હતી.
તે સમય, એટલે વર્ષ ૧૯૯૧ના અરસામાં જ્યારે પહેલીવાર આ લેખ પ્રકાશિત કરવામાં આવેલ હતો, ત્યારે તે સમયના પીરાણાના ગાદીપતિ શ્રી કરસન કાકાએ આપેલ વક્તવ્યોના આધારે આ લેખ તૈયાર કરેલ છે.
આ લેખને સરળતાથી સમાજવ માટે છ (૬) ભાગમાં વિભાજીત કરીને વાંચવા જેવો છે. આ લેખની કોપી આ સાથે જોડેલ છે, જેમાં ઉપર જણાવેલ છ (૬) ભાગોને લાઈન પાડીને તારવેલા છે.
Part 1: હિંદુ દીકરીના લગ્ન એક મુસલમાન છોકરા સાથે થાય અને એ પણ ઘરવાળાઓથી ચોરી છુપી કોર્ટમાં થાય. ઈમામશાહના દરગાહની માનતા કરવાથી બન્ને ઘરવાળાઓ આ સંબંધને સ્વીકારી લે......