.
ધોરણ-૧૦ પછીના ડિપ્લોમાની પ્રવેશ કાર્યવાહી ૭ જુનથી શરૂ થશે
રાજ્યમાં આવેલી પોલીટેકનીક સંસ્થાઓમાં પ્રવેશ માટે એડમશિન કમિટી દ્વારા ૭ જુનથી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધોરણ-૧૦નું પરિણામ ૨ જુનના રોજ જાહેર થનાર છે પરંતુ માર્કશીટ વિદ્યાર્થીઓને ૭ જુનના રોજ મળનાર હોઇ એડમશિન કમિટી દ્વારા ૭ જુનથી પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
૭ જુનથી ૧૬ જુન સુધી ઇન્ફર્મેન બુકલેટ અને પીન નંબરનું વિતરણ કરવામાં આવશે. જ્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કાર્યવાહીનો ૮ જુનથી પ્રારંભ થશે. આ કાર્યવાહી ૧૮ જુન સુધી ચાલશે. ૨૨ જુનના રોજ એડમશિન કમિટી દ્વારા પ્રોવીઝનલ મેરીટ લસ્ટિ જાહેર કરવામાં આવશે.
૨૫ જુનથી મોક રાઉન્ડનો પ્રારંભ કરાશે. જેમાં બે મોક રાઉન્ડ કરવાનું આયોજન કરાયું છે. ૧૧ જુલાઇના રોજ એડમશિન કમિટી દ્વારા અંતિમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે. આ કાર્યવાહી જુલાઇના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે.