પ્રિય સર/મેડ્મ,
સજ્જતા સંઘ તરફથી શુભેચ્છાઓ!
આપને જણાવતા આનંદ થાઇ છે કે સજ્જતા સંઘ દ્વારા ખેડુત ઉત્પાદ સંગઠનો (FPO) ના
શાસક મંડળના સભ્યો માટે વદોદરા ખાતે તાલિમ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે.
આ બે દિવસીય નિવાસી તાલિમ કાર્યક્રમ છે.
આ તાલિમ કાર્યક્રમ, શાસક મંડળના સભ્યોનુ વિવિધ વિષયો અને ક્ષેત્રોમા જ્ઞાન અને
સમજ વધારવા માટે ડિઝાઇન કરવામા આવ્યૉ છે; જેથી તેઓ સહકાર, સમાનતા, સમાન હક, અને
સામુહિક માલિકીની ભાવનાથી ખેડુત ઉત્પાદક સંગઠનમા અસરકારક શાસન અને સંચાલનની
વ્યવસ્થાઓ પ્રસ્થાપિત કરી શકે. કૃષિ બજાર, ખેડુત ઉત્પાદક સંગઠનની ભુમિકા,
એફપીઓની કામગીરી અને FPO ના કાર્યને અસર કરતા અન્ય પરીબળો ની જાણકારી અને જ્ઞાન
મેળવવાથી શાસક મંડળ અને મુખ્ય અધિકારીઓનો યોગ્ય નિર્ણૅય, સચોટ ભાગીદારી અને
ખેડુતો જોડે અસરકારક રીતે કાર્ય કરવા માટેનો આત્મવિશ્વાસ વધશે.
તાલિમ કાર્યક્રમમા નીચે જણાવેલ મુદ્દાઓ નો સમવેશ થશે:
1. ખેડૂત ઉત્પાદક સંગઠનોનો પરિચય- FPO શા માટે?
ખેડૂત ઉત્પાદક સંગઠનોની ડોકયુમેન્ટરી ડીએસસી ફિલ્મનું સ્ક્રીનીંગ
2. પ્રોડ્યુસર કમ્પની કાયદા વિશેની સમજણ, અન્ય રેજીસ્ત્રેશન અને કાયદાકિય
અનુપાલન અંગે માહિતી
3. શાસન અને સંચાલન (ઇંટ્રોડક્ટરી)
મંથન મુવી નુ સ્ક્રીનીંગ
4. પ્રોડ્ક્ટ વેલ્યુ ચૈન અને વેલ્યુ ચૈન વિશ્લેષણ
5. વેપારનું આયોજન (ઇંટ્રોડક્ટરી)
6. એફપીઓ ની તકનિકી કામગીરી
7. સફળ સંગઠન બનાવવા માટે ના વિશિષ્ટ પાસાઓ અંગે ચર્ચા
અમલસાડ કોઓપ્રેટીવ ની કેસ સ્ટડી અંગે ચર્ચા
નોંધ: i) તાલિમ કાર્યક્રમ ની પુર્ણ રૂપરેખા (ગુજરાતી ભાશામાં) ટુંક સમયમાં
આપને મોકલી આપવામાં આવશે.
ii) ગ્રામ્ય સ્તરથી આવતા શાસક મંડળના સભ્યો આવતા હોય તે કારણોસર તાલિમ દરમિયાન
સહભાગી તકનીકો, ગ્રુપ ચર્ચાઓ અને ઓડિયો વિડિઓ બેસ્ડ શિક્ષણ પર વધારે ભાર
મુકવામાં આવશે.
આ કાર્યક્રમમા રસ ધરાવતી સ્વૈછીક સંસ્થાઓ તથા ખેડુત ઉત્પાદક સંગઠનો(FPOs), FPO
ના શાસક મંડળના પ્રતિનિધીઓ ને તાલિમ માટે નોમિનેટ કરી શકે છે. આ તાલિમ
કાર્યક્રમનુ આયોજન તારીખ ૧૧,૧૨ ઓગસ્ટ (બે દિવસ) ના રોજ કરવામા આવ્યુ છે. સ્થળની
વિગત નીચે મુજબ છે. આ બે દિવસીય નિવાસી કાર્યક્રમમા વ્યક્તિ દીઠ ૩૦૦૦ રૂપિયા ફી
રાખેલ છે.
તાલિમ સ્થળ :-
દીપક ફાઉન્ડેશન
નિજાનંદ આશ્રમ, એલ & ટી નોલેજ સીટી ની બાજુમા,
લક્ષ્મી સ્ટુડીઓની નજીક,
બાયપાસ નેશનલ હાઇવે -૮,
વાઘોડિયા, વડોદરા,
ગુજરાત ૩૯૯૦૦૧૯
ફોન નંબર: ૦૨૬૫ ૬૫૬૨૧૦૨
તાલિમ કર્યક્રમમા જોડાવા માટે તારીખ ૫/૮/૨૦૧૬ સુધીમા જાણ કરવા માટે નમ્રવિનંતી,
તાલિમ કાર્યક્રમમા જોડાવા માટે નીચે મુજબના નંબર ઉપર જાણ કરવી
સંપર્ક નંબર :- ક્રુણાલ પ્રજાપતિ
૯૮૭૯૫૭૩૬૩૯
શુભેછાઓ સાથે,
Regards,
Krunal Prajapati
Programme Executive
Sajjata Sangh
C/O Development Support Centre,
Marutinandan Villa, Near Govt. Tubewell, Bopal,
Ahmedabdad 58, Gujarat
Mob:
+91 9879573639,
Web:
www.sajjatasangh.org