શ્રીમાન,
નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત, અમદાવાદ દ્વારા માહે સપ્ટેમ્બર ૨૦૨૧માં કોષ્ટક-૧ મુજબના ઓનલાઈન રીસર્ચ મેથોડોલોજી વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ઉક્ત તાલીમ કાર્યક્રમમાં ENGLISH વિષયના જુદા જુદા ટોપિકનો સમાવેશ કરવામાં આવશે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન લેવામાં આવશે. કાર્યક્રમનો સમયગાળો દરરોજ ૨ કલાકનો રહેશે. ઉક્ત તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર અધ્યાપકો દ્વારા નિયમિત અસાઇન્મેન્ટ સબમિટ કરાવવાનું રહેશે.
તારીખ
૧૪/૦૯/૨૦૨૧ થી ૨૪/૦૯/૨૦૨૧
ઓનલાઈન રીસર્ચ મેથોડોલોજી વર્કશોપ ઓન ENGLISH
ઉક્ત તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક અધ્યાપકોનું UDAYAM COGENT પોર્ટલ દ્વારા તેઓએ પોતેજ UDAYAM COGENT પર લોગીન કરીને ટ્રેનીંગમાં જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે અધ્યાપકોનું રજીસ્ટ્રેશન UDAYAM COGENT પોર્ટલ પર કરાવેલ હશે. અને તેઓ દ્ધારા નિયમિત તાલીમ લઇ અસાઇન્મેન્ટ સબમિટ કરાવેલ હશે તેઓનેજ સર્ટીફીકેટ મળવા પાત્ર રહેશે. E
ઉક્ત બાબતે ઈચ્છુક અધ્યાપકોને UDAYAM COGENT પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે.