ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના દરેક જીલ્લામાં સદભાવના મિશન દ્વારા એક-એક દિવસના ઉપવાસ કરી દેશ અને દુનિયામાં ગુજરાતની ગરિમાનું નિદર્શન કરાવવા માટે પ્રત્યનશીલ છે. તે અંતર્ગત તેમના ૨૯ માં સદભાવના ઉપવાસનું ગઈકાલે તા:૪ ફેબ્રુઆરીના રોજ દાહોદના નવજીવન કોલેજના વિશાળ મેદાન ઉપર આયોજન થયું હતું. મુખ્યમંત્રીશ્રીના આ સદભાવના કાર્યક્રમમાં રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ઉચ્ચ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાંથી ખુબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. અનેક લોકોને પોતાના લોકલાડીલા મુખ્યમંત્રીને મળવાનો મોકો મળ્યો હતો..મુખ્યમંત્રીશ્રીને મળતા લોકોએ સ્મૃતિરૂપ મોમેન્ટો અથવા કન્યા કેળવણી માટેનું અનુદાન આપી સરકાર પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવી હતી. વિવિધ સંસ્થાઓ તથા સંગઠનો દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન સમગ્ર દિવસ ચાલ્યું હતું.દરમ્યાનમાં મંત્રીઓના વક્તવ્ય તથા ગુજરાતના ગૌરવ સમા ગીત-સંગીતનો રસપાનનો કાર્યક્રમ લોકોએ માણ્યો હતો. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાહોદ જીલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી ૧૫૦૦ કરોડ રૂં.ની ફાળવણી કરતાં દાહોદ સાથે અનન્ય રીતે જોડાયેલ તેમનો નાતો યાદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ ખાતે વર્તમાન મુખ્યમંત્રી ૧૯૭૨-૭૩ ના વર્ષોમાં ખાસ્સો સમય રહી ચુક્યા છે અને તેની વધુ વિગતો આપ આ વખતના ''વોઈસ ઓફ દાહોદ''માં વાંચી શકશો. વાંચવા માટે ક્લિક કરો: <http://www.dahod.com/> www.dahod.com
Regards......આભાર....
Gopi Sheth (U.S.A)
Cell:- 856-438-0021 E-mail: <mailto:dostiyaa...@gmail.com> dostiyaa...@gmail.com
Sachin Desai (Dahod)
Mob.: 94265 95111 Email: <mailto:sachinda...@gmail.com> sachinda...@gmail.com